Posts

Danvir Dansangbha Rathvi

Image
Studio Gujju 🌞 નાડોદા રાજપુત 🌞 (દાનવીર રામસંગભા રથવી ) વઢિયારની ધરતી ઈતો સંત અને દાતાર શુરાની ધરતી છે. સમર્પણ અને ત્યાગ ની કથાઓ પછી શુરવીર હોય તોય ભલે,દાતાર, સંતી હોય તોય ભલે અને સંત હોય તોય ભલે અનેક પ્રસંગો પોતાના ખોળામા સંઘ્રી ને બેઠેલી ઈ વઢિયારની ધરતી છે . "નામ રહનતા ઠાકરાં,નાણાં નહી રહંત કિતીૅ કેરાં કોટડા ,પાડયા નહી પડંત " ... પૈસા તો આજે છે ને કાલે ન પણ હોય. પણ દુનીયા માં કરેલા કીર્તી તણા કામ પછી તે બેન દીકરયુ માટે શહીદી ઓરી હોય કે ધર્મ માટે ગવતરી માટેકે જ્યા દાતારી થઈ હોય..આ હંમેશા યાદ રહે છે.બધુ જતુ રહે પણ માણસ ની ખુમારી અને માણસઈ હંમેશા યાદ રહી જાય છે..... પહેરણ ધોતીને પાઘડી, મુંછો નો રૂડો મટ; પડછંદ પુરુષો પાકતા, વઢિયાર ધરાનો વટ. આપડે જેમ આગળ વાત કરી દાનવીર કરમસિંહ રથવી.. "તું દિયણ દાતાર , મોટા મનનો માનવી રખવટ રાખણ હાર,કરમી નર તું કરમસિંહ" ઐજ ગામના વીર દાનવીર રામસંગભા રથવી જેવોયે આજથી 200 વર્ષ પહેલા મોટી ચંદુર ગામે મેડી બંધાવી તે વખતે વઢિયાર મા મેડી ઓછી જોવા મલતી . મેડી બંધાવી ને વાસ્તુપુજન અને ગૃહપ્રવેશ માટે બોલાવ્યા હતા . બારોટ...

Dhanaram Bapa-Kuvarad

Image
🌞 નાડોદા રાજપુત  🌞 વઢિયારની ધરતી ઈતો સંત અને શુરાની ધરતી છે. સમર્પણ અને ત્યાગ ની કથાઓ પછી શુરવીર હોય તોય ભલે, સંતી હોય તોય ભલે અને સંત હોય તોય ભલે અનેક પ્રસંગો પોતાના ખોળામા સંઘ્રી ને બેઠેલી ઈ વઢિયારની ધરતી છે. દ્લ ધીંગા, ધીંગી ધરા, હાથ ધીંગા હથિયાર. નર નારાયણ નીપજે એવો મારો ધન દેશ વઢિયાર; રાજપુત ભાલૈયા(ભાડલીયા) કુળ માં અવતરેલ એક વિરવળ સંત પૂજ્ય ધનારામ બાપાની જગ્યા કુંવારદ તા - શંખેશ્વર જી- પાટણ ( વઢિયાર પ્રદેશ) જેમના જીવન ચરિત્ર અને ભજન ભાવ નું સુંદર પુસ્તક ટૂંક સમયમાં તેમના દીકરા અને રાજપૂત સમાજનું ગૌરવ પૂજ્ય એવા પુરષોત્તમબાપા દ્વારા પ્રગટ થનાર છે. ધધ્ધા ધર્મ શોભી રહ્યો,શોભી રહ્યો અપાર, નન્ના નામ નિશ્ર્ચે કિયો,ધનધન ધનારામ; નેક, ટેક ને ધરમ ની, આંયા તો પાણે પાણે વાત, સંત ને શૂરા નિપજાવતી અમારી ધરતી ની અમીરાત. 🙏🏻 જય ગુરુદેવ 🚩

History Of Nadoda Rajput Community

Image
નરવૈયા (નાડોદા) રાજપૂત સમાજની ઉત્પતિ અને ઇતિહાસ:-- ગુજરાત રાજ્ય માં ખુબ જ ઓછી સંખ્યામાં જુદા જુદા પાંચ ભાગોમાં વહેંચાયેલા રાજપૂત નાડોદા સમાજના ઇતિહાસ બાબતે જુદી જુદી અટકળો થાય છે તેમ છતા નાડોદા કેમ કહેવાયા તે બાબતે થોડું સંશોધન કરીએ ઇતિહાસ ના સાધનો અને રાસમાળા ભાગ-૨ માંથી થોડી વિગત મળી છે. રાજપૂત નાડોદા જ્ઞાતિ નો ઇતિહાસ રસપ્રદ છે અને તેનો સામાજીક વારસો ઉચ્ચ છે. આજકાલ જ્યારે સમાજ કે જે દારૂ, માંસાહાર, જુગાર વગેરે અસ્તિત્વ ધરાવતા સમાજના મોટા દુષણો વારસાગત છે. ત્યારે આપણો નાડોદા સમાજ કે જેનો વારસો બધાથીયે અલગ તરી આવે છે અને આવા વ્યસનો કે બદીઓ આપણો રાજપૂત હોવા છતા સ્પર્શી શકી નથી આપણો સમાજ જેનાથી અલિપ્ત રહી આપણે સમાજમાં આપણુ વર્ચસ્વ, વારસો ઉજજવળ રીતે જાળવી રાખ્યો છે તે એક પ્રશંસનીય બાબત છે. અને આ વારસો જાળવવા માટે આપણા સંસ્કાર ખમીરવંતા અને શાંતિપ્રિય સ્વભાવ વધારે મદદરૂપ થયો છે. આ રાજપૂતો વઢિયાર તથા ખારાપટ પંથકના દરેક ગામોમા પોલીસ પટેલ તરીકે નરવૈયા રાજપૂતો હતા .આપણે રાજપૂત નાડોદા છીએ તે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નામે ઓળખાય છે. વિરમગામથી રાધનપુર વિસ્તાર કે જે વઢીયા...

Nadoda Rajput Navagam-Mandal

Image
પરંપરાઓ અને મર્યાદાની અંકબંધ જાળવણી નાડોદા રાજપૂત સમાજ માંડલ.. 🚩 જય ભવાની..

What Matter About Dansang Mori

Image
વિજયભાઈ તથા નીતિનભાઈ આપણી પાર્ટી ના દગાબાજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણી ની દાદાગીરી વિસે થોડું જાણો અને વિચારો હું ભારતીય જનતા પાર્ટી નો સક્રિય સભ્ય 1988 થી છું અને નાડોદા રાજપૂત સમાજ નોસભ્ય પણ છું હવે મારે આપણી સમક્ષ જીતુભાઇ વઘાણી ની અસલી હકીકત સામે લાવવી છે જેથી તમો ને જાણ પણ થાય આપણી પાર્ટી 151 સીટ કેવી રીતે લાવશે ભાવનગર જિલ્લા માં એક બુધેલ ગામ આવેલું છે જેમાં આપણી પાર્ટીના જ એક કાર્યકર મોરી દાનસગભાઈ કારડીયા રાજપૂત રહે છે જેમની પાસે બુધેલ ગામ ની ગૌ ચર સરકારી 15 વીઘા જમીન રોડટચ આવેલી છે જે આપણી પાર્ટીના અધ્યક્ષ જીતુ વઘાણી એ પચાવી પડવાનું મન બનાવી લીધું હોય તે જમીન ની ગામ ના સરપંચ હોવા ના લીધે ના પાડી એટલા માટે સતા ના જોરે દનસગભાઈ ને સરપંચ ના પદ ઉપરથી સસ્પેન્ડ કરવી ખોટા કેસો કરવી તેમને તથા તેમના ભાઈઓ ને સતાનો દુરઉપયોગ કરીને તેમના કુટુંબ ના ૯ જેટલા સભ્યોને અને બીજા સમાજ ના 3 લોકો ને સજા કરાવીને કુટુંબને હેરાન પરેશાન કરી જમીન પડાવી લેવાની લાલસા જાગી અને આ જમીન કબ્જે કરીને ઉધોગપતિને વેચી કરોડોના મલિક બનવા જઇ રહ્યા છે જીતુભાઈની આવી ભસ્ટનીતિ ના કારણે સમસ્ત કારડીયા રાજપૂત અને નાડોદા રાજપ...

Rajput Na Paliya

Image
🚩 જય નરવૈયા રાજપૂત સમાજ.. 🚩 પૂર્વજો.. ની અમર કિર્તી ને હું કેમ કરી ભૂલાવું ..!! આવો અમારા ગુજરાત માં પાણે પાણે પરમાત્મા બતાવું... ધરતી તુ મા અમારી જીવતા હતા તોય તારા કરીને જાણીયા મર્યા પછી પણ મેદાનમાં તારા ખોળે પુજાવી થઈ પાળીયા ના કોઈ પ્રદશન ના કોઈ પુજા અમેતો બસ કાંડાના પાણી બતાવી જાણીયા ના સાફા ના કંકુ ના કેસરતિલક પણ સાચુ શુરાતન કરી સિધુરે રંગાઇ જાણીયા ખરાખરીનો ખેલ ખેલતા કોક માટે માથાં મેલતા છતાં કદર કરી ન જાણીયા શુરવીર તણા શુરાતંન ની બળવાન તણા બલીદાનની યાદ અપાવે પાળીયા જય હો શુરવીરોની શુરવીરતાને.. 🚩 ગામડે ગામડે ગામને ઝાંપે ઓલા પટાધર પાળિયા પોકારે. સતી શુરાની સિંદુર ભરેલી ઓલી ખાંભી ખોખારે. વેળા પડયે આવજો વારે તીખી તીખી તલવારેની ધારે... આપણી પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવવંતા ઈતિહાસના હું તમે દરેક વ્યકિત વારસદાર છીએ. આપણા પૂર્વજોના ગૌરવવંત ઈતિહાસને જીવંત રાખવાની જવાબદારી દરેકની છે. જય ભવાની 🙏🏻

kathada Gam-Vanol Suarapura Dada

Image
🌞 નાડોદા રાજપૂત 🌞 કઠાડા ગામના વણોલ શાખના રાજપુત શુરાપુરા દાદા  🚩 કેવાં હશે એ યુધ્ધ જેની વાત આજે થાય છે, માથા વગરના ધડ લડે અને પાળિયા થઈ પુજાય છે. "સુનતાકા ને રાગ શીન્ધુડા, થોભાળ ઉભા થાય, મરવું કાતો મારવા માટે , જંગ માં જોદ્ધા જાય, વાચો તમે વીર ની વાતું , રણે તે દી લોય રેડાતું ." જેવો ગવતરી માટે થઈ ધામા સુધી લડયા ધીંગાણા મા કામ આવ્યા આજપણ દાદા પરચા પુરે છે.. 🙏🏻 🚩 દાદાનો પાળિયો ધામા.ગામ મા છે.. જૈન દેરાસર ના દ્વાર પર.. કઠાડા અને ગુંદીયાળા ગામ ના ભાયુ દાદાના દર્શનાથે આવે છે પગપાળા. હજી પણ ચેતન છે આ પાળિયા પરચા મે એના અનેક ભાળીયા આપણી પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવવંતા ઈતિહાસના હું તમે દરેક વ્યકિત વારસદાર છીએ. આપણા પૂર્વજોના ગૌરવવંત ઈતિહાસને જીવંત રાખવાની જવાબદારી દરેકની છે 🙏🏻 🚩 જય દાદા 🚩 જય ભવાની